સોમવાર, 26 જૂન, 2017

નેપાળ અને ભુતાન જવા માટે આઇડી તરીકે આધાર માન્ય નથી


એમ કેન્દ્રના ગૃહ મંત્રાલયે આજે કહ્યું હતું કે ભારતીય મુસાફરો માટે નેપાળ અને ભુટાન જવા માટે આધાર એ કંઇ અધિકૃત ઓળખપત્ર નથી.

ભારતીયો નેપાળ કે ભુટાન જઇ શકે છે, જો તેમની પાસે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ  અને ચૂંટણી પંચનું ઓળખપત્ર હોય તો તેમના માટે વિઝાની જરૃર હોતી નથી. 
 
ઉપરાંત ૬૫ વર્ષની વય કરતાં મોટા કે ૧૫ વર્ષ કરતાં નાના ભારતીયોને  તેમની વય અને ઓળખ દર્શાવવા માટે  ફોટા સાથેના દસ્તાવેજો દેખાડવા પડે છે.


આમા પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ આરોગ્ય કાર્ડ અને રાશન કાર્ડ માન્ય છે, પરંતુ આધાર નહી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો