શુક્રવાર, 7 ઑગસ્ટ, 2020

 આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસવર્ષ 2015માં ચૈન્નાઈમાં પ્રથમવાર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું થયું હતું ઉદ્ધાટન

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે.આ દિવસનો હેતુ હેન્ડલૂમનું મહત્વ અને દેશના સામાજિક-આર્થિક યોગદાન વિશે જાગૃતિ ફેલવવાનો છે.

વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૈન્નાઈમાં પ્રથમવાર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે તેમણે કહ્યું હતું કેભારતીય હસ્તકળા કારીગરી ગરીબી સામે લડવાનું એક એવું અસ્ત્ર સાબિત થશે જેવી રીતે સ્વતંત્રતા સંઘર્ષમાં સ્વદેશી આંદોલન થયું હતું.

બુધવાર, 5 ઑગસ્ટ, 2020

 અયોધ્યામાં શ્રીરામમંદિરનું થયુ ભૂમિપૂજન

What Ayodhya Ram Temple will look like: In pics

આજનો દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય ભારતની અનુપમ ભેટ : PM

આજનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે અનેક લોકોએ વર્ષોથી જોયેલુ સપનું આજે રામમંદિરના ભૂમિ પૂજનની સાથે પૂર્ણ થયું છે... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્તવિધિ અને વૈદિક મંત્રોચ્ચારથી અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિરનો આજે શિલાન્યાસ કર્યો હતો..

ભૂમિ પૂજાના અનુષ્ઠાન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ., રાજ્યપાલ આનંદીબેન પટેલ., રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહંત , નૃત્ય ગોપાલ દાસ , અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા , મોહન ભાગવત ખાસ વિધિમાં સહભાગી થયાં હતાં.. વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અષ્ટ ઉપશિલા પૈકી કૂર્મશીલાનુ પૂજન પણ કર્યું હતું.. રામ મંદિરના શિલાન્યાસ માટે પ્રધાનમંત્રી સવારે 9:30 કલાકે હેલિકોપ્ટર દ્વારા દિલ્હીથી લખનઉ પહોંચ્યા હતાં.. લખનઉથી અયોધ્યા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ હનુમાનગઢીમાં દર્શન કર્યા હતાં અને પૂજા-અર્ચના કરી હતી.. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામમંદિરના ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા હતાં જ્યાં , ભૂમિ પૂજન સ્થળે પ્રધાનમંત્રીએ રામ લલાના સાક્ષાત દંડવત થઈને દર્શન કર્યાં હતાં.. અને વિશેષ પૂજા આરતી કરી હતી.. આ તકે તેમનું મંદિરના સાધુ-સંતો અને મહંતો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું..

અહીં પ્રધાનમંત્રીએ પારિજાતના છોડનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.. મહત્વપૂર્ણ છે કે, ભૂમિ પૂજન લઈને અયોધ્યા નગરીને , દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રામમય થયેલી અયોધ્યામાં , છેલ્લાં ત્રણ દિવસથી સતત ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યાં છે.

 

સોમવાર, 3 ઑગસ્ટ, 2020

 આજે સંસ્કૃત દિવસ, અનેક ભાષાઓની જનની છે સંસ્કૃત ભાષા


ભારત દેશના પ્રાચીન ગ્રંથ,વેદ વગેરેની રચના સંસ્કૃતમાં થઈ હતી..આ ભાષા અનેક ભાષાઓની જન્મદાતા છે..

આજે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે..સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.આજના દિવસે લોકોને સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે સમજ આપતા કાર્યક્રમો થાય છે.ભારત સરકારે દર વર્ષે સાવનની પૂર્ણિમા નિમિત્તે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રક્ષાબંધન પણ આ દિવસે ઉજવવામાં આવે છે. સાવનની પૂર્ણિમાને ઋષિઓના સ્મરણ અને સમર્પણનો ઉત્સવ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે ગુરૂકુળમાં વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ દિવસે યજ્ઞોપવીત (જનોઈ) પહેરાવવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો નવી જનોઈ પહેરે છે. આ સંસ્કારને ઉપનયન અથવા ઉપકર્મા સંસ્કાર પણ કહેવામાં આવે છે.

ઋષિઓ અને બ્રાહ્મણોએ આ દિવસે યજમાનોને રક્ષાસૂત્ર બાંધી દીધું હતું. ઋષિને સંસ્કૃત સાહિત્યનો પિતા અને તેના સમર્થક માનવામાં આવે છે, તેથી આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.સંસ્કૃત સાથે સંકળાયેલી સંસ્થા સંસ્કૃત ભારતી વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીને પ્રોત્સાહિત કરી રહી છે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરતા લખ્યુ છે કે તમામ દેશવાસીઓેન સંસ્કૃત દિવસની શુભેચ્છા..ભારત દેશના પ્રાચીન ગ્રંથ,વેદ વગેરેની રચના સંસ્કૃતમાં થઈ હતી..આ ભાષા અનેક ભાષાઓની જન્મદાતા છે..

 

મંગળવાર, 26 નવેમ્બર, 2019


મુંબઇ હુમલો : 11 મી વર્ષગાંઠ પર 26/11 ના શહીદોને રાષ્ટ્ર યાદ કરે છે
 
આ હુમલામાં 166 લોકોએ ગુમાવ્યા હતા જીવ
આજે 26 નવેમ્બરના રોજ મુંબઈ હુમલાને 11 વર્ષ પૂરા થયા છે. નોંધનીય છે કે, આ એ તારીખ છે જ્યારે મુંબઈમાં એક આંતકી હુમલો થયો અને જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર 10 આતંકીઓએ 60 કલાક સુધી ચાલેલ આ હુમલામાં અનેક 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા. આજના દિવસે સમગ્ર રાષ્ટ્ર શહીદોને યાદ કરે છે. 



આજે બંધારણની 70મી વર્ષગાંઠ, દેશભરમાં વિવિધ કાર્યક્રમો


26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં લાગુ થયું હતું દેશનુ બંધારણ
દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ અપનાવ્યું હતું. બંધારણની જોગવાઈ 26 નવેમ્બર 1950થી સંપૂર્ણપણે લાગું થયું હતું. સંવિધાનના રચયતાના યોગદાન અંગે આભાર પ્રગટ કરવા અને તેમાં સામેલ ઉત્કૃષ્ટ મુલ્યો અને નિયમો પ્રત્યે લોકોને જાગૃત કરવા 26 નવેમ્બરને બંધારણ દિવસના રૂપે ઉજવવામાં આવે છે. આજનો બંધારણ દિવસ ખાસ છે, કેમ કે બંધારણને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આજે આ દિવસે સંસદના મુખ્ય ખંડમાં બંને ગૃહની સંયુક્ત બેઠક થશે, જેને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ સંબોધન કરશે.


Constitution Day



Constitution Day (National Law Day), also known as Samvidhan Divas, is celebrated in India on 26 November  every year to commemorate the adoption of the Constitution of India. 

બુધવાર, 20 નવેમ્બર, 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય નૌસેને , એકેડમીનો પ્રતિષ્ઠીત રાષ્ટ્રપતિ ધ્વજ કર્યો પ્રદાન


-     બુદ્ધ અને શાંતિકાળમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવતો પ્રસિડન્ટ કલર ધ્વજ , ઉત્કૃષ્ઠતાનું છે પ્રતિક.
Image result for ramnath kovind give award to indian navy of indian flag
રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર , રામનાથ કોવિંદે , આજે ભારતીય નૌ સેના એકેડેમીને , પ્રેસિડન્ટ કલર ધ્વજ પ્રદાન કર્યો હતો. પ્રેસિડન્ટ કલર ધ્વજ , કોઈ સૈન્ય એકમને અપાનાર , સર્વોચ્ચ સન્માન છે. 
ભારતીય નૌ-સેનાને અપનાર પ્રેસિડન્ટ કલર સન્માન આ સંસ્થા દ્વારા 3 અલગ - અલગ સ્થળ ,- કોચી, ગોવા , અને એજીમાલામાં , ગત પચાસ વર્ષ દરમિયાન , ભારતીય નૌ-સેનાના અધિકારીઓને પ્રશિક્ષણ આપવામાં , કરવામાં આવેલી વિશિષ્ટ સેવાને માન્યતા આપે છે. 
નૌ-સેનાને પ્રથમ 1968માં , કોચીમાં અસ્થાયીરૂપે સ્થાપવામાં આવ્યું હતું. ભારતીય નૌ-સેના એકેડેમીને , સ્થાઈરૂપથી એજીમાલા કેરલમાં સ્થાપિત કરવામાં આવી છે. આ એકેડેમીનું , આઠમી જાન્યુઆરી 2009માં ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ અધિકારીઓને , તેમના પરિશ્રમ અને કર્તવ્ય નિષ્ઠા માટે , શુભેચ્છા પાઠવી હતી.