મંગળવાર, 31 ઑક્ટોબર, 2017

સરદાર પટેલ જયંતિને "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે મનાવવામાં આવેઃ વડાપ્રધાન



Congratulations : TET-2 Passed Students





- રન ફોર યુનિટિમાં લેવડાવ્યા એકતાના શપથ


આજે સરદાર પટેલની જન્મ જયંતી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જંયતીને 'એકતા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તેમણે દેશની નવી પેઢીને સરદારથી પરિચિત કરાવવા માટે જ આવા કાર્યક્રમ થવા જોઈએ એવી પણ રજૂઆત કરી હતી.

સરદારે આઝાદી બાદ તેમના કૌશલ્ય-દ્રઢશક્તિ દ્વારા ન માત્ર દેશને સંકટથી બચાવ્યું પરંતુ સેંકડો રજવાડાને ભારતમાં ભેળવ્યાં. અંગ્રેજોને તેમના ઇરાદામાં સફળ ન થવા દેવા તે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ હતી. દેશની નવી પેઢીને તેમનાથી પરિચિત નથી કરાવવામાં આવે. ઈતિહાસમાં સરદાર સાહેબના નામને દૂર કરવાનો પ્રયત્ન થયો અથવા તેમના નામની અવગણના કરવામાં આવી. અનેક રાજકીય પક્ષો તેમના માહાત્મ્યનો સ્વીકાર કરે કે ના કરે પરંતુ અમારી પેઢી તેમને ઇતિહાસથી દૂર થવા માટે તૈયાર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો