સોમવાર, 29 મે, 2017

આંદામાન નિકોબાર ટાપુ વિશે 10 જાણી અજાણી વાતો 


- આંદામાન અને નિકોબાર શબ્દ મલિયાલી ભાષામાંથી લેવામાં આવ્યો છે. જેમાં આંદાનો અર્થ હિન્દુઓના દેવતા હનુમાન અને નિકોબારનો અર્થ નગ્ન માણસોની ભૂમિ થાય છે.

- આ ટાપુઓ પર બોલાતી ભાષા આંદામાન કે નિકોબાર નહીં પણ બંગાળી છે. અહીં મોટાભાગના લોકો બંગાળી ભાષા જાણે છે સાથે અહીં હિન્દી, તામિળ, તેલુગુ અને મલયાલમ પણ બોલાય છે.




- અહીના આદિવાસીઓ બહારના લોકો સાથે વાતચીત નથી કરતા અહીંના આદિવાસીઓમાં સૌથી વધુ જારવાઆદિવાસીઓ જોવા મળે છે. જારવા આદિવાસીઓની સંખ્યા 500થી પણ ઓછી છે.

- આ ટાપુઓની આસપાસ મોટા પ્રમાણમાં વિવિધ પ્રજાતિની દરિયાઈ પ્રજાતિઓ વસે છે જેમાં સૌથી જાણીતી પ્રજાતિ છે દરિયાઈ કાચબો. દર વર્ષે મોટી સંખ્યામાં આ દરિયાઈ કાચબા આંદામાન અને નિકોબારના દરિયા કિનારા પર આવીને ઈંડા મૂકે છે.


- આ ટાપુઓ પર કમર્સિયલ ફિશિંગ પર પ્રતિબંધ છે. દુનિયામાં ઘણી ઓછી જગ્યાઓ છે જ્યાં માછલીઓ ઘરડી થાય ત્યારે મૃત્યુ પામે છે તેમાંની એક જગ્યા આંદામાન નિકોબારના ટાપુઓ.

- તમે ક્યારેય 20 રૂપિયાની નોટ ધ્યાનથી જોઈ છે? જો તમે 20 રૂપિયાની નોટ ધ્યાનથી જોઈ હશે તો તેમે નોટની પાછળના ભાગમાં કુદરતી દ્રશ્ય જોયું હશે. આ સુંદર દ્રશ્ય આંદામન અને નિકોબારના ટાપુઓ છે.


- અંગ્રેજોએ સ્થાપેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના બે ઓફિસર્સ અહીં આવ્યા હતા અને તેમણે આ ટાપુઓને હેવેલોક અને નેઈલી આઈલેન્ડ તેવું નામ આપ્યું હતું.

- બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને આ ટાપુઓને પોતાના કબજામાં લઈ લીધા હતા. અને ત્રણ વર્ષ સુધી આ ટાપુઓ જાપાનના ગણાયા.

- ડ્યુગોંગ નામનું દરિયાઈ જીવ આંદામાન અને નિકોબાર ટાપુઓનું રાજ્ય પ્રાણી છે. આ પ્રાણી નાના આંદામાનમાં વધુ જોવા મળે છે.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો