ગુરુવાર, 27 એપ્રિલ, 2017

UDAN(Ude Desh Ka Aam Naagrik) Scheme by Mr. Modi


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શિમલાથી ઉડાન યોજનાનો આરંભ કરશે. આ યોજના અંતર્ગત આજથી નાંદેડ-હૈદ્રાબાદ વિમાન સેવા શરુ કરવામાં આવશે. ઉડાનના માધ્યમથી માફક દરે વિવિધ રાજ્યોના શહેરોમાં વિમાન સેવા શરુ કરવામાં આવશે. પહેલાં તબક્કામાં નાંદેડ-હૈદ્રાબાદ અને શિમલા-દિલ્હી માર્ગ પર આ સેવા શરુ કરવામાં આવશે.

પ્રાદેશિક સંપર્ક વધારવા માટે મોટાપાયે શરુ કરાયેલી આ પહેલી યોજના હોવાનું પણ જણાવાયું છે.

દેશના મહત્ત્વના શહેરેને જોડવા માટે ક્ષેત્રીય સંપર્ક યોજના ઓક્ટોબર ૨૦૧૬માં શરૃ કરવામાં આવી હતી. ગુરુવારે આ યોજનાનું લોકાપર્ણ થશે. અંદાજે ૫૦૦ કિલોમીટર માટે એક ફિકસ્ડ વીંગ એરક્રાફટ રહેશે. જેના માધ્યમથી ૧ કલાકના પ્રવાસ માટે અથવા તો હેલીકોપ્ટરના અડધો કલાકના પ્રવાસ માટે પ્રવાસીઓએ માત્ર ૨૫૦૦ ખર્ચવા પડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો