બુધવાર, 12 એપ્રિલ, 2017

ગુમ થયેલુ ચંદ્રયાન હજુ ય ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરે છે : નાસાએ શોધી કાઢ્યું


ઓગસ્ટ-૨૦૦૯માં ચંદ્રયાન સાથે ઈસરોનો છેલ્લો સંપર્ક થયો હતો


ચંદ્ર પર પાણીની હાજરીના નક્કર પુરાવા આપનારું ચંદ્રયાન નિષ્ક્રિય છે, વર્ષો સુધી પરિભ્રમણ કરતું રહેશે : સપાટીથી ૨૦૦ કિલોમીટર ઊંચે ઘૂમી રહ્યું છે

નાસાના વિજ્ઞાાનીઓએ ચંદ્ર ફરતે ભ્રમણ કરી રહેલું ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-૧ શોધી કાઢ્યુ છે. ૨૦૦૮માં ભારતે ચંદ્ર પર રવાના કરેલા ચંદ્રયાન-૧ સાથે ઈસરોનો છેલ્લો સંપર્ક ઓગસ્ટ-૨૦૦૯માં થયો હતો. ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે લોન્ચ થયેલા ચંદ્રયાને મૂળભૂત રીતે ૨ વર્ષ સુધી કામ કરવાનું હતં. પરંતુ ૩૧૨ દિવસ પછી અચાનક ઓગસ્ટ-૨૦૦૯માં તેનો સંપર્ક તૂટી ગયો હતો. એ પછીથી ક્યારેય તેનો સપંર્ક થઈ શક્યો નથી. તેની સંપર્ક પ્રણાલી આજે પણ કામ કરતી નથી. નાસાએ રેડાર દ્વારા તેની હાજરી પારખી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો