બુધવાર, 12 એપ્રિલ, 2017

હાથી ગામ

હાથીઓ માટે બનેલું ભારતનું એક માત્ર "હાથી ગામ"
આ ગામ 100 એકર જમીનમાં વસેલું છે
ગામમાં 51 હાથી માટે 20 બ્લોકની વ્યવસ્થા છે.

ભારતનું એક એવું ગામ જેને માત્ર હાથીઓ માટે જ વસાવવામાં આવ્યું છે. આ ગામ 100 એકર જમીનમાં વસેલું છે. અહી હાથીઓને રહેવા માટેની તમામ વ્યવસ્થા છે. જેને જોવા માટે વિદેશી પ્રવાસીઓ પણ આવે છે. વર્ષો પહેલા જ્યારે સરકાર અજમેર કિલ્લાને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે હાથીની સવાર પ્રવાસીમાં ખુબ જ લોકપ્રિય બની હતી. એટલા માટે આમેર પાસે દિલ્લી રોડ પર હાથીઓના રહેવા માટે એક વ્યવસ્થા કરવામાં આવી. હાથીની સારી રીતે દેખરેખ થવાથી તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. 2008માં રાજસ્થાન સરકારે આ ગામનું નામ હાથી ગામ તરીકે જાહેર કર્યું હતું.
હવે આ ગામમાં 47 હાથીની અને 4 હાથી છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો