શુક્રવાર, 8 માર્ચ, 2019


રાષ્ટ્રીય મહિલા ગ્રામીણ આજીવિકા સંમેલન-2019ને PM મોદીનું સંબોધન


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં  પ્રધાનમંત્રી રાષ્ટ્રીય મહિલા ગ્રામીણ આજીવિકા સંમેલન-2019 કાર્યક્રમમાં  વિવિધ સ્ટોલનું નીરીક્ષણ કર્યું હતું.  કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું  કે આજ દેશમાં  75 હજાર સ્થળોથી  આ કાર્યક્રમમાં  મહિલાઓ સીધી જોડાઇ છે.  
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ  વિવિધ મહિલાઓને સન્માનીત કરી હતી.  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે માતા, બહેનો, બેટીઓને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું હતું  કે બહેનો મહિલા સશક્તિકરણ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. 

સેલ્ફ , હેલ્પ , ગૃપ ઉપર ભાર મુકતા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કાર્યરત વિવિધ જૂથોના દાખલાઓ આપી ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.  તેમણે કહ્યું  કે ગત વર્ષે 31 લાખ મહિલાઓને  કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી.  તેમણે સરકાર દ્વારા લાગુ કરેલી  વિવિધ યોજના  જેમ કે આરોગ્ય યોજના, મુદ્રા લોનની સવિસ્તાર સમજ આપીને  પ્રોત્સાહિત કર્યા હતા. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો