શુક્રવાર, 8 માર્ચ, 2019


પ્રધાનમંત્રી મોદીએ બહાર પાડ્યો ખાસ કરીને નેત્રહીનો માટે બન્યો સિક્કો

નાણામંત્રાયલ દ્વારા ભારતના રાજપત્રમાં પ્રકાશિત જાણકારી અનુસાર 20 રૂપિયાના નવા સિક્કાનો આકાર 20 મિમી અને તેનું વજન 8.54 ગ્રામ છે.
મોદી સરકારે પ્રથમવાર 20 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે 20 રૂપિયાના આ નવા સિક્કા સિવાય 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના નવા સિક્કા પણ બહાર પાડ્યા છે. આ સિક્કા દિવ્યાંગો માટે ખાસ છે. આ સિક્કાને તે સરળતાથી ઓળશી શકશે. નવા સિક્કાને પ્રધાનમંત્રીના 7, લોક કલ્યાણ માર્દ સ્થિત આવાસ પર બહાર પાડવામાં આવ્યાં જ્યાં વિશેષ રૂપથી દ્રષ્ટિ દિવ્યાંગ બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 
નાણામંત્રાલયે જણાવી 20 રૂપિયાના નવા સિક્કાની ખાસિયત
નાણામંત્રાયલ દ્વારા ભારતના રાજપત્રમાં પ્રકાશિત જાણકારી અનુસાર 20 રૂપિયાના નવા સિક્કાનો આકાર 20 મિમી અને તેનું વજન 8.54 ગ્રામ છે. આ સિક્કાનો બહારનો ભાગ તાંબુ (65 ટકા), ઝિંક (15 ટકા) અને નિકલ (20 ટકા)થી બન્યો છે. તેના અંદરના ભાગમાં 75 ટકા તાંબુ, 20 ટકા ઝિંક અને પાંચ ટકા નિકલ છે. 20 રૂપિયાના નવા સિક્કામાં 12 કિનારા છે. 
                                                                             

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો