શુક્રવાર, 4 જાન્યુઆરી, 2019

ઇસરો ૨૦૧૯માં ચંદ્રયાન-૨ સહિત ૩૨ સ્પેસ મિશન લોન્ચ કરશે

ચંદ્રયાન-૨ ફેબુ્રઆરીની મધ્યમાં લોન્ચ કરાય તેવી શક્યતા
૨૦૧૯નું વર્ષ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દિ તરીકે ઉજવાશે
 

ભારત ચાલુ વર્ષે ચંદ્રયાન-૨ સહિતના ૩૨ અવકાશ અભિયાન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર(ઇસરો)ના અધ્યક્ષ સિવન કે. એ નવા વર્ષના સંદેશમાં જણાવ્યું છે કે ૨૦૧૯નું વર્ષ ઇસરો માટે પડકારજનક રહેશે. ૨૦૧૯માં ૩૨ અવકાશ અભિયાન લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. 
આ ૩૨ અભિયાનોમાં ૧૪ લોન્ચ વેહિકલ, ૧૭ સેટેલાઇટ અને એક ટેક ડેમો મિશનનો સમાવેશ થાય છે. 
૨૦૧૯ના ૩૨ મિશનમાં ચંદ્રયાન-૨ પણ છે. ચંદ્રયાન-૨ જાન્યુઆરીથી ૧૬ ફેબુ્રઆરી, ૨૦૧૯ની વચ્ચે લોન્ચ કરવામાં આવશે. 
સૂત્રોના જણાવ્યા ચંદ્રયાન-૨ ફેબુ્રઆરીની મધ્યમાં લોન્ચ કરવામાં આવશે પણ અત્યાર સુધી તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
ઇસરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ અંગે અમે ખૂબ જ મહેનત કરી રહ્યાં છીએ. ફેબુ્રઆરીમાં આ મિશન લોન્ચ થવાની પૂરી શક્યતા છે. 
૮૦૦ કરોડ રૃપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ચંદ્રયાન-૨ મિશન ૧૦ વર્ષ અગાઉ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-૧નું એડવાન્સ વર્ઝન છે. 
ઇસરોના અધ્યક્ષે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દીનું વર્ષ છે. જેના સંદર્ભમાં ૧૨ ઓગસ્ટ, ૨૦૧૯થી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઇસરોના અધ્યક્ષે ૨૦૧૮ના વર્ષને ભારતીય અવકાશ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ રહ્યું હોવાનું ગણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો