શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

એન્જિનિયર દિવસે ગૂગલે ડૂડલ બનાવી ભારત રત્ન વિશ્વસરૈયાને યાદ કર્યા

 
આજે વિશ્વસરૈયાનો 158મો જન્મ દિવસ છે. ગૂગલે વિશ્વસરૈયાનું ડૂડલ બનાવીને યાદ કર્યા. સર મોક્ષગુંડમ વિશ્વસરૈયા આધુનિક ભારતના સૌથી મોટા એન્જિનિયર હતા. 

વર્ષ 1880માં કર્ણાટકમાં કોલારમાં જન્મેલા વિશ્વસરૈયાનું ભારતના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન છે. 1985માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. 
આપણા દેશમાં તેમના જન્મદિવસને એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વસરૈયાએ પ્રાથમિક શિક્ષણમાં મૈસૂર મેળવ્યુ હતું. ઉચ્ચ અભ્યાસ તેમણે બેંગ્લોરની સેન્ટ્રલ કોલેજ માં કર્યો હતો. તેમને ભારતના વિકાસના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. 
તેમણે ઘણા મહત્વના કાર્યો કર્યા છે. જેમ કે નદીઓ પર બંધ, બ્રિજ અને પીવાના પાણીની યોજનાઓ બનાવી હતી. કૃષ્ણા સાગર બંધ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો