બુધવાર, 8 ઑગસ્ટ, 2018


તમિલ રાજકારણના સુપર સ્ટાર કરૃણાનિધિનું ૯૪ વર્ષે અવસાન



- દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ તરીકે 50 વર્ષ સેવા આપનારા કરુણાનિધિએ સાંજે 6:10 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

- દિલ્હી અને તમામ રાજ્યોની રાજધાનીમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવા આદેશ

તમિલનાડુના પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા મુથુવેલ કરુણાનિધિનું ૯૪ વર્ષની વયે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં સાંજે ૬:૧૦ વાગ્યે અવસાન થયું હતું. કરુણાનિધિ ૧૯૫૭થી જુદા જુદા મત વિસ્તારમાં ૧૩ વાર વિધાનસભામાં ચૂંટાયા હતા. આ એક પણ ચૂંટણીમાં તેઓ હાર્યા ન હતા, જે તેમની જબરદસ્ત લોકપ્રિયતાની સાબિતી છે.


કરુણાનિધિ ૫૦ વર્ષ સુધી દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ રહ્યા હતા.


કાવેરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અરવિંદન સેલવારાજે કરુણાનિધિના મૃત્યુની જાહેરાત કરી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો