ગુરુવાર, 8 માર્ચ, 2018


નેફિયો રિયોએ નાગાલેન્ડના મુખ્યમંત્રી પદના શપથ લીધા

Image result for nefia rio new cm of nagaland

- શપથ સમારોહમાં અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મળા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂ હાજર રહ્યા


નાગાલેન્ડમાં નવનિર્વાચિત સરકારના CM નેફિયો રિયોએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કોહિમા લોકલ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં નેફિયોની સાથે 10 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા.

આવુ પહેલીવાર બન્યુ જ્યારે રાજ્યમાં નવી સરકાર માટે આટલા વિશાળ સ્તરે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મળા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂ પણ હાજર રહ્યા.

શપથ ગ્રહણ માટે કોહિમા લોકલ ગ્રાઉન્ડની જ પસંદગી કેમ કરવામાં આવી. કેમ કે 1963માં તત્કાલિન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને અહીંયાથી નાગાલેન્ડ રાજ્યની રચનાનું એલાન કર્યુ હતુ. રાજ્યમાં પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી ( NDPP)એ પ્રગતિ કરી હતી, જે બાદ પાર્ટીએ BJPની સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો.

નાગાલેન્ડના રાજ્યપાલ પીબી આચાર્ય દ્વારા NDPP નેતા નેફિયો રિયોની CM તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતીય બંધારણની કલમ 164 (1) અનુસાર રાજ્યપાલે આ નિમણૂક કરી છે. રાજ્યપાલે નેફિયો રિયોથી 16 માર્ચ સુધી પોતાનો બહુમત સાબિત કરવાનું કહ્યું છે. આજે માર્ચે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ થશે. ભાજપ-એનડીપીપીએ એક સાથે ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓએ 32 ધારાસભ્યોનું સમર્થન રજૂ કરવાનું કહ્યું હતુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો