ગુરુવાર, 29 માર્ચ, 2018


આજે મહાવીર જન્મ કલ્યાણક અમદાવાદમાં ભવ્ય રથયાત્રા યોજાશે


- જિનાલયોમાં વિશિષ્ટ આંગી કરવામાં આવશે

- રથયાત્રામાં 700 કિગ્રા ચાંદીથી મઢેલો 100 વર્ષ જૂનો પ્રભુજીનો રથ આકર્ષણનું કેન્દ્ર

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક એટલે પ્રત્યેક જૈન માટે એક અતિ વિશિષ્ટ પર્વ. ગુરુવારે ચૈત્ર સુદ-13 છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં મહાવીર જન્મ કલ્યાણકની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
  પર્વ નિમિત્તે જિનાલયોમાં વિશિષ્ટ આંગી, સાધુ ભગવંતો દ્વારા વ્યાખ્યાનના આયોજન કરવામાં આવશે.  જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જીતો દ્વારા અમદાવાદ (રાજનગર)ના સમસ્ત જૈન સંઘોના સહયોગથી છેલ્લા સાત વર્ષ માફક આ વખતે પણ મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જૈન તથા જૈનેતરોમાં પ્રભુ મહાવીરના અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ, વિશ્વમૈત્રી, જીવદયા જેવા સંદેશાનો પ્રચાર પસાર કરવાનો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો