ગુરુવાર, 21 ડિસેમ્બર, 2017

ચીન સરહદે ફરજ બજાવતા જવાનને પણ 'ઉદાર પેન્શન યોજના'નો લાભ

- પાકિસ્તાન સરહદે ફરજ બજાવતા સૈનિકની જેમ

- અકસ્માત મૃત્યુ કે શહાદતના સંજોગોમાં ૧૦૦ ટકા પેન્શન ફાળવવાની જોગવાઇ

હવે ભારત-ચીન વચ્ચેની ૪૦૦૦ કિ.મી. લાંબી સરહદની સુરક્ષા કરનારા જવાનો, સૈનિકોને પણ સરકારની ઉદાર પેન્શન યોજનાનો (લિબરલ ફેમિલી પેન્શન) લાભ મળી શકશે.

અત્યાર પર્યંત આ પેન્શન યોજનાનો લાભ, પાકિસ્તાન સાથેની સરહદે ફરજ બજાવતા સૈનિકોને જ મળતો હતો. કેમકે તે સતત સંવેદનશીલ અને કાશ્મીર સરહદે ઘુસણખોરી તો પંજાબ સરહદ કેફી દ્રવ્યોની દાણચોરી માટે કુખ્યાત છે. તેથી પાકિસ્તાન સરહદે લાઇન ઓફ કંટ્રોલ (L.O.C) અને ઇન્ટરનેશનલ બોર્ડર (I.B) પર ફરજ બજાવતા જવાનોને જ તે લાભ અપાતો હતો.


સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામને એ બાબતે મંજૂરી આપી છે કે ભારત-ચીન સરહદે 'લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ' (L.O.C) પર ફરજ બજાવતા જવાનોને પણ તે ઉદાર યોજનાનો લાભ અપાશે. આ યોજનામાં છેલ્લા પગારની રકમ અનુસાર ૧૦૦ ટકા પેન્શન આપવાની જોગવાઇ છે જે સામાન્ય પેન્શન યોજના હેઠળ ૩૦ ટકા જ આપવાની જોગવાઇ છે. આ યોજના હેઠળ સામાન્યત: સૈનિકના આકસ્મિક મૃત્યુ કે શહાદતને લક્ષમાં લેવામાં આવે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો