શનિવાર, 6 જુલાઈ, 2019

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 118મી જન્મજયંતિ નિમિત્તે ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી
- પાંચ વર્ષથી દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ અને દિર્ધદ્રષ્ટીને કારણે આજે સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધ્યું છે : એસ.જયશંકર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાન તેમજ સદસ્યતા વૃધ્ધિ અભિયાનના ગુજરાતી થીમ સોંગનું લોન્ચીંગ કર્યુ હતુ. ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવતાં રૂપાણીએ જણાવ્યુ કે, કાશ્મીરમાં ‘‘દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન’’ની વિરૂધ્ધમાં આંદોલન કરતાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની આજે 118મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભાજપાના સંગઠન પર્વનો શુભારંભ થઇ રહ્યો છે, ત્યારે આપણા માટે એક ગૌરવપૂર્ણ વાત છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો