શનિવાર, 27 એપ્રિલ, 2019


રાજકોટ - 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાનો 2.22 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર
મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટેની યોજના
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દાંડીથી લઇ પોરબંદર સુધીના મહાત્મા ગાંધીજીના સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટે યોજના બનાવવમાં આવી છે. રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ , કબાગાંધીનો ડેલો અને હવે સરકાર દ્વારા 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાના જીર્ણોદ્વાર માટે કામગીરી હાથ ધરાઈ છે.રૂપિયા 2 કરોડ 22 લાખના ખર્ચે રીનોવેશન કરીને રાજકોટમાં પૂજ્ય બાપુના જીવનનું વધુ એક નજરાણું ટુરીઝમ માટે આપવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધીએ વર્ષ 1920 માં શરૂ કરેલી અને હાલ જે રાષ્ટ્રીયશાળા સંકુલ છે તે વર્ષ 1924મા તૈયાર થઈ હતી જ્યાં મહાત્મા ગાંધી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યાં હતાં. 66 હજાર ચોરસ મીટર વાળી જગ્યામા ગાંધી સ્મૃતિખંડ , પુસ્તકાલય , ગેસ્ટહાઉસ ,પ્રાથમિક શાળાના વર્ગો વગેરેનો સમાવેશ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો