શુક્રવાર, 1 માર્ચ, 2019

સુષ્માનુ OICમાં સંબોધન


 Image result for oic-meeting-eam-sushma-swaraj-guest-of-honour-speech
મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશન(OIC)ની બેઠકને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંબોધન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે આતંકવાદીની લડાઈ કોઈ ધર્મ સામે નથી.હિન્દુ ધર્મગ્રંથ ઋગવેદમાં કહેવાયુ છે કે ભગવાન એક જ છે અને તમામ ધર્મનો અર્થ શાંતિ થાય છે.આજે દુનિયા આતંકવાદથી પરેશાન છે.આતંકવાદી સંગઠનોને થતા ફંડિંગ પર રોક લાગવી જોઈએ.
સુષ્માએ પાકિસ્તાનનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે ભારત આતંકવાદ સામે ઝઝૂમી રહ્યુ છે.આતંકવાદનો વ્યાપ વધી રહ્યો છે.આવામાં આતંકવાદને સંરક્ષણ આપવા પર રોક લાગવી જોઈએ.આતંકવાદી સંગઠનોનુ ફંડિંગ રોકવામાં આવવુ જોઈએ.ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે તે રીતે તમામ ધર્મ શાંતિ  માટે જ છે.
સુષ્માએ કહ્યુ હતુ કે ભારત માટે વૈવિધ્ય અપનાવવુ હંમેશા આસન રહ્યુ છે.કારણકે ભારતીય સંસ્કૃતિના સૌથી જુના મનાતા ધાર્મિક ગ્રંથ ઋગવેદમાં વિવિધતાનો સંદેશ અપાયો છે.ભારતમાં દરેક ધર્મ અને સંસ્કૃતિનુ સન્માન થાય છે.એ જ કારણ છે કે ભારતમાં બહુ ઓછા મુસ્લિમો ઝેરીલા દુષ્પ્રચારથી પ્રભાવિત થતા હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો