ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2019

ઇલેક્શન કમિશનર તરીકે સીબીડીટીના ચેરમેન સુશીલચંદ્રાની નિમણૂક કરાઈ


-     સીબીડીટીના ચૅરમૅને ગુજરાતમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે પણ સેવા આપી હતી


સીબીડીટીના ચૅરમૅન સુશીલ ચંદ્રાની ભારતના ઇલેક્શન કમિશનર તરીકે આજે નિમણૂક કરવામાં આવી છે. આગામી મહિનાઓમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુશીલ ચંદ્રા ૧૯૮૦ના બૅચના આઈઆઈટીના ગ્રેજ્યુએટ છે અને તેઓ ઇન્ડિયન રેવન્યુ સર્વિસની ઇન્કમટેક્સ કેડરમાં જોડાયા હતા. તેમણે ગુજરાતમાં આવકવેરાના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે સેવા આપી હતી. તેમ જ તેઓ ડિરેક્ટર જનરલ ઇન્કમટેક્સ તરીકેની સેવા પણ ગુજરાતમાં આપી ચૂક્યા છે.
ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અત્યારે સુનિલ અરોરા છે. તેમ જ અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સાથી કમિશનર તરીકે સેવા આપશે. કાયદા મંત્રાલયે તેમની નિમણૂક કરતું જાહેર નામું બહાર પાડયું છે. સુશીલ ચંદ્રાએ ઇલેક્શન કમિશનર તરીકેનો હોદ્દો ગ્રહણ કરતાં પહેલા સીબીડીટીના ચૅરમૅનના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો