રવિવાર, 21 ઑક્ટોબર, 2018


PM મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમનું કર્યું ઉદઘાટન, સુભાષ ચંદ્ર બોઝના નામે પુરસ્કારની ઘોષણા


 Image result for National-Police-Memorial

રાષ્ટ્રીય પોલીસ દિવસે(21 Oct) PM મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સ્મારક દેશના પોલીસ કર્મચારીઓની વીરતા અને શૌર્યનું પ્રતીક છે.

આ પોલીસ દિવસ આઝાદી બાદ દેશમાં આતંરિક સુરક્ષા માટે પોલીસના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પોલીસ દિવસની શરૂઆત 1959માં થઈ હતી. આ વર્ષે લડાખમાં ચીની સેનાના હુમલામાં 10 પોલીસ કર્મચારીઓ શહિદ થયા હતા. તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
 

પોલીસ દિવસ પર નેશનલ પોલીસ સ્મારક દેશને સમર્પિત કરવામાં આવશે. આ મ્યુઝિમયમ દિલ્હીના ચાણકયપુરીમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં 30 ફૂટ ઉચી એક શિલા સ્થાપિત કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો