બુધવાર, 29 ઑગસ્ટ, 2018

રાષ્ટ્રીય રમત દિવસ

ધ્યાનચંદ સિંહ(29 ઓગસ્ટ 1905- 03 ડિસેમ્બર 1979) ભૂતપૂર્વ ખેલાડી તેમજ ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા. તેમની ગણના ભારત તેમજ વિશ્વ હોકીના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.તેમને  ત્રણ વખત ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો(1928માં એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક્સ, 1932 માં લૉસ એન્જેલસ ઓલિમ્પિક્સ અને 1936 બર્લિન ઓલિમ્પિક્સમાં ). 
ભારતમાં તેમનો જન્મદિવસ "નેશનલ સ્પોર્ટ્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે. 
ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે . તેમણે તેમની કારકિર્દીમાં 1,000 થી વધુ ગોલ કર્યા હતા. જ્યારે તેઓ ફિલ્ડમાં રમત રમવા માટે આવતા ત્યારે બોલ તેમની હોકી સ્ટીકને જાણે ચિપકી જતી હોય એવુ લાગતુ. 
1956 માં પદ્મભૂષણ એવોર્ડ્થી  એનાયત કરવામાં આવ્યો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો