રવિવાર, 9 ઑગસ્ટ, 2020

 મુખ્યમંત્રીની "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા સંવાદ

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં સીધા સંકળાયેલા અને કોરોના સામેના જંગમાં પોતાનું જીવન હારી ચૂકેલા 35 દિવંગત કર્મયોગીઓના પરિવારજનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા આ સંવાદમાં દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી. 

જે અંતર્ગત પોતાનું આવાસ ન હોય તેવા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારને સરકારી યોજનાના આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે. એટલે કે, ડ્રો વિના તેમને આવાસ ફાળવાશે. સાથે જ માં અમૃતમ, માં વાત્સલ્યમ યોજના અન્વયે રૂ.3 લાખ સુધીની આરોગ્ય સારવાર મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવારજનોને અપાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો