સોમવાર, 1 ઑક્ટોબર, 2018


ભારતના મહાન નેત્ર ચિકિત્સક ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામીનો આજે 100મો જન્મદિન

 
ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામી ભારતના એક મહાન નેત્ર ચિકિત્સક હતા. તેમનો જન્મ 1 ઓક્ટોબર 1918એ થયો હતો અને 87 વર્ષની ઉંમરમાં 7 જુલાઈ 2006એ તેમનું  નિધન થયુ હતુ. 
ઘણા ગરીબ પરિવારમાંથી આવતા ગોવિંદપ્પા વેન્કટસ્વામીએ એક એવા નેત્ર હોસ્પિટલનું સપનુ જોયુ, જેમાં ગરીબોને ઘણી ઓછી કિંમત પર દાક્તરી સુવિધાઓ ઉપલબ્ધ થાય. તેમણે પોતાના આ સપનાને પૂરુ પણ કર્યુ. 
- ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામી ગરીબ પરિવારમાંથી આવતા હતા પરંતુ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો કેમ કે તેમના એક અમીર અંકલે તેમના ભણવાનો ખર્ચ આપ્યો હતો. 
- ભણતર બાદ તેમણે ઈન્ડિયન આર્મીનો મેડીકલ કોર્સ જોઈન કર્યો જ્યાં તેમણે યુદ્ધમાં ઈજાગ્રસ્ત સૈનિકોનો ઈલાજ કર્યો.
- તેમણે ગરીબો માટે એવી આંખોનું હોસ્પિટલ ખોલવાનું સપનુ જોયુ હતુ જેમાં ઘણા ઓછા પૈસામાં ગરીબોની સારવાર થાય. જે બાદ તેમણે અરવિંદ આઈ કેર સેન્ટરની સ્થાપના કરી.
- હોસ્પિટલ માટે તેમને બેન્કે લોન આપવાની મનાઈ કરી દીધી હતી. ત્યારે તેમણે પૈસાની સગવડ કરવા માટે પોતાનું ઘર ગીરવી મૂક્યુ હતુ.
- ડોક્ટર ગોવિંદપ્પાને પોતાનું આઈ કેર સેન્ટર ખોલવાની પ્રેરણા મેકડોનાલ્ડની એસેમ્બલી લાઈન ઓપરેશનમાં મળી હતી. 
- ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામીએ 56 વર્ષની ઉંમરમાં 1976માં મદુરાઈમાં અરવિંદ આઈ હોસ્પિટલ ખોલ્યુ હતુ. તેઓ આજીવન લગ્ન ન કર્યા અને પોતાના ભાઈની સાથે રહ્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો