ગુરુવાર, 25 જાન્યુઆરી, 2018

ગુજરાત પોલીસના નવ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક

Click here for online test


-પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે


૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગુજરાત પોલીસમાં નવ  પ્રશંસનીય સેવાના પોલીસ મેડલો અધિકારી જવાનોને જાહેર કર્યા હતા. જેમાં બે પીએસઆઈ, બે એએસઆઈ, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને આઈબીના બે આસિ.આઈઓનો સમાવેશ થાય છે. જો કે આ વખતે ગુજરાત પોલીસમાં વિશિષ્ટ સેવા મેડલ કોઈ અધિકારીને ફાળવવામાં આવ્યો નથી.

પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાએે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોને પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે.

આણંદના પીએસઆઈ એસ.કે.ગઢવી,

ભાવનગરના વાયરલેસ પીએસઆઈ રામદેવસિંહ જે.રાણા,

સુરતના એએસઆઈ રમેશચંદ્ર દુર્લભભાઈ પટેલ,

સુરતના હેડકોન્સ્ટેબલ મનોજસિંહ સાહેબસિંહ રાજપૂત,

મહેસાણા એસઆરપીના એએસઆઈ દીલીપસિંહ ચીમનસિંહ વાઘેલા,

એટીએસ અમદાવાદના હેડકોન્સ્ટેબલ ગોપાલ ભગવાનસ્વરૃપ શર્મા,

અમદાવાદના હેડકોન્સ્ટેબલ ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી


તેમજ ગુજરાત આઈબીના બે આસિ.આઈઓ જયરાજસિંહ બલવંતસિંહ જાડેજા અને વસંતકુમાર કલ્યાણદાસ પરમારનો સમાવેશ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો