બુધવાર, 4 ઑક્ટોબર, 2017

કૃષ્ણા નદી પર રાષ્ટ્રીય જળમાર્ગ માટે પાયો નંખાયો

વાઇસ પ્રેસિડન્ટ એમ. વેંકૈયા નાયડુએ આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે રાષ્ટ્રીય જળમાર્ગ 4 ના ભાગરૂપે મુક્તયાલથી વિજયવાડા જળમાર્ગને જોડવા માટે તેમજ કૃષ્ણ નદી પરના વિકાસ માટે પાયો નાખ્યો. 

સાગર માલા પ્રોજેક્ટ હેઠળ વિકસિત રાષ્ટ્રીય જળમાર્ગ -4 નું 82 કિલોમીટર અંતર્દેશીય જળમાર્ગ રેખાનું છે. તેનો ઉપયોગ મુખ્યત્વે નવી રાજધાની અમરાવતી માટે સિમેન્ટ અને બાંધકામ સામગ્રીના પરિવહન માટે કરવામાં આવશે. 

આંધ્ર પ્રદેશમાં NW-4 ની કુલ લંબાઈ 2890 કિ.મી. છે. રાષ્ટ્રીય જળમાર્ગને ત્રણ તબક્કાઓમાં વિકસિત કરવાની યોજના છે જેમ કે : તબક્કો -1: વિજયવાડા (કૃષ્ણા નદી) (82 કિલોમીટર), બીજા તબક્કો-2 : વિજયવાડાથી કાકીનાડા (એલરુ કેનાલ અને કાકીનાડા કેનાલ) અને રાજાહમંડરી થી પોલવારમ (ગોદાવરી નદી) (233 કિ.મી.) અને તબક્કો -3: કોમમુર કેનાલ, બકિંગહામ કેનાલ અને કૃષ્ણા અને ગોદાવરી નદીઓના પટ્ટા (573 કિમી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો