ગુરુવાર, 27 જુલાઈ, 2017

પૂર્વ સ્વાતંત્ર્ય સેનાની કે.ઈ. મમમેન મૃત્યુ પામ્યા...






26th july ના દિને,  કેરળના સ્વાતંત્ર્ય સેનાની કે.ઇ. મમમેન વય-સંબંધિત રોગોના કારણે નેય્યાતીનકારામાં મૃત્યુ પામ્યા. તેઓ 96 વર્ષના હતા. તેઓ મહાત્મા ગાંધીના શાંતિવાદી અને અનુયાયી હતા.

તેઓ 31 જુલાઇ, 1921 ના રોજ તિરુવનંતપુરમમાં પ્રસિદ્ધ કાન્દિતીલ પરિવારમાં જન્મ્યા હતા. તેઓ ગાંધીવાદી સિદ્ધાંતોના કટ્ટરવાદી હતા અને એક આંદોલન જીવન જીવતા હતા. નાની ઉંમરથી, તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે તેમનો ટેકો આપ્યો હતો. કોલેજ વિદ્યાર્થી તરીકે તેઓ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય બન્યા હતા. અગાઉ ત્રાવણકોર રાજ્યના તત્કાલિન દિવાન, સર સી.પી. રામસ્વામી ઐયરની વિરુદ્ધ જવા બદલ તેમને પ્રથમ વખત જેલ થઇ હતી. બાદમાં તેમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો